NIOS

 

LATEST: NIOS 2020 EXAM IS POSTPONED. For latest update visit: https://sdmis.nios.ac.in

 

NIOS - National Institute of Open Schooling FAQs

 

        

         1. એન.આઈ.ઓ.એસ.(NIOS) શું છે?

          - એન.આઈ.ઓ.એસ. એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલીંગ, જેમાં ધો.૧૦ અને ધો.૧૨ની ઘરે બેઠાં તૈયારી કરી પરીક્ષા આપી શકાય.

 

        

         2. એન.આઈ.ઓ.એસ. (NIOS) સરકાર માન્ય છે ?

          - હા. એન.આઈ.ઓ.એસ.(NIOS) એ MHRD એટલે કે માનવ સંશાધન મંત્રાલય દ્વારા ચલાવાતું બોર્ડ છે. MHRD, એન.આઈ.ઓ.એસ.(NIOS) સિવાય CBSE, કેન્દ્રિય વિધ્યાલય સંસ્થાન તેમજ NCERTનું સંચાલન કરે છે.  આમ એન.આઈ.ઓ.એસ એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતું બોર્ડ છે. 

 

         3. એન.આઈ.ઓ.એસ.(NIOS) કેટલા વર્ષથી ચાલે છે?

          -  છેલ્લા ૩૦ વર્ષથી

 

        4. શું ધો.૧૦ અને ધો.૧૨માં નપાસ થયેલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે?

        - હા. કેમ નહિ! ધો.૧૦ કે ધો.૧૨માં ગમે તેટલી વાર ટ્રાય કરી નપાસ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે. 

 

        5. હું કદી શાળાએ નથી ગયેલ તો શું હું ધો.૧૦ ની પરીક્ષા આપી શકું?

         - હા. ૧૪ વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઇ પણ વ્યક્તિ પરીક્ષા આપી શકે.

 

        6. એન.આઈ.ઓ.એસ.(NIOS) માં પરીક્ષા પાસ કરી આગળ અભ્યાસ માટે કાેઈ પણ કોલેજમાં પ્રવેશ મળી શકે ?

         - હા. આગળ અભ્યાસ માટે કોઈપણ સરકારી કે સેલ્ફ ફાયનાન્સ્ડ  ડિગ્રી કે ડિપ્લોમા કોલેજ કે આઈટીઆઈમાં પ્રવેશ મેળવી શકો છો.

 

 

        7. સરકારી ભરતી કે સરકારી નોકરીમાં એન.આઈ.ઓ.એસ.(NIOS) નું પ્રમાણપત્ર માન્ય ગણાય?

         - હા, એન.આઈ.ઓ.એસ.નું પ્રમાણપત્ર બધેજ માન્ય છે. તમે કોઈપણ સરકારી ભરતી કે પ્રમોશન માટે એન.આઈ.ઓ.એસ.નુ પ્રમાણપત્ર રજુ કરી શકો છો.

 

        8. મારે વિદેશ અભ્યાસ માટે જવું છે તો એન.આઈ.ઓ.એસ.(NIOS)નું પ્રમાણપત્ર માન્ય ગણાશે?

        - હા, આગળ જણાવ્યું એમ એન.આઈ.ઓ.એસ.(NIOS)નું પ્રમાણપત્ર બધે જ માન્ય છે. 

 

        9. ધો.૧૨ સાયન્સમાં પ્રવેશ મેળવી શું હું નીટ(NEET), ગુજકેટ, જી(JEE)ની પરીક્ષા આપી શકું?

        - હા, ચાેક્કસ. ધો.૧૨ સાયન્સ એન.આઈ.ઓ.એસ.(NIOS)માં પાસ કરી JEE & NEET માં ગુણ મેળવી તેના આધારે તમે જે-તે મેડીકલ, પેરામેડીકલ, એગ્રીકલ્ચર એન્જિનીયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવી શકો છો.

 

       10. એન.આઈ.ઓ.એસ.(NIOS)માં ધો.૧૦ કે ૧૨ (આર્ટસ્ , કોમર્સ કે સાયન્સ)માં પ્રવેશ મેળવવા શું કરવું?

        - ધો, ૧૦ કે ૧૨ (આર્ટસ્ , કોમર્સ કે સાયન્સ) એન.આઈ.ઓ.એસ (NIOS)માં પ્રવેશ માટે 9662460100 નંબર પર કોલ કરો અથવા નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરો:

 

 

સ્થળ : એન.આઈ.બી. સ્કૂલઓફ સાયન્સ, પાલનપુર 

લક્ષ્મીપુરા, કિસાન ઓઈલ મીલની બાજુમાં, અમદાવાદ હાઈવે, પાલનપુર

Location :  https://goo.gl/maps/TPBDLyyrbdvhxNDm6

Quality Education
About us:
Philosophy
History of the School
Staff Directory
FAQ's
NIB Policies
Messages
Admissions
Contacts
Campus:
Science Lab
Biotech Lab
Smartclass
3D Lab
A.C. Hostel
Science:
Career Guide
NIOS
Introduction
GUJCET-2020
NEET-2020
JEE- MAIN 2020
JEE-Advanced-2020
School Result
Students:
Test
Photo Gallery
Video Gallery
Announcements
News
NIBians
Result
School Calendar